5 June 2014

શાળા પ્રવેશોત્‍સવ અંગે ૧૦મીએ રાજયભરના અગ્રણીઓની બેઠક

રાજકોટ તા.પ : ગુજરાત સરકાર દ્વારા તા.૧ર થી ૧૪ અને તા.૧૯ થી ર૧ સુધી અનુક્રમે ગ્રામીણ તથા શહેરી ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાનાર છે તેની સફળતા માટે તા.૧૦મીએ સાંજે ગાંધીનગરમાં રાજયભરના સરકારના પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારોની બેઠક બોલાવવામાં આવી છે.
ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીના જણાવ્‍યા મુજબ બેઠકમાં મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ અને પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ સહિતના અગ્રણીઓ માર્ગદર્શન આપશે. પ્રદેશના હોદેદારો, ધારાસભ્‍યો, તમામ મહાનગરો અને જિલ્લાના પાર્ટી પ્રમુખો, શિક્ષણ સમિતિના અધ્‍યક્ષો, મેયરો, જિલ્લા પંચાયત પ્રમુખો વગેરે બેઠકમાં અપેક્ષિત છે.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home